જય માં માંગલ (મોગલ)
ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ’ હાજરાહજૂર છે.
The temple of Sri “Mogal Maa” is situated in the village of Bhaguda in Mahuva taluka of Bhavnagar district. I visited this place in March of 2023. This temple is known as “Mogal Dham”. The significance of Mataji’s place, which has a history of about 450 years, is important. In the Mahuva taluka, the village of Bhaguda is located in the form of a Prakriti’s sparrow nest. Mogal is sitting in the village of Bhaguda, which is full of open green fields and my eyes. This place has many burning incidents and stories associated with it. Bhaguda ‘Maa Mogal’s Dham’ is the temple of thousands of devotees coming from abroad. Very good place. Beautiful temple of Maa Maangal (also called as Mogal). History of this temple is that Maa Maangal had protected the young girl of a Chaaran, whom a Mughal emperor was willing to marry. Father of that girl had prayed to Maa Maangal and Maa rushed to protect her and did it. The temple is small and beautiful. There is a havan kund. The food and accommodation facility is completely free here. There is a small hill on which there is another temple of Maa. Lots of devotees come here and pray for their wishes and Maa Maangal fulfills them. Especially, the couple who do not have children come here with faith and with the blessings of Maa, their wish to get a child gets fulfilled. You will find so many frames/photos of children who are blessed by Maa Maangal. Truly a very holy...
Read more☆ શ્રી મોગલધામ - ભગુડા(ભાવનગર) આઈ શ્રી મોગલમાં નું "મોગલધામ" તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઈતિહાસ આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન છે. આમ તો મોગલ માંનું જન્મસ્થળ ભીમરાણા છે પરંતુ મોગલમાંના સાધકો(મોગલ છોરુ) ના મનમાં આ સ્થાનક મોગલધામનું અનેરૂ મહત્વ છે. ભગુડા એટલે મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળાજેવડું નાનું ગામ છે. ખુલ્લા લીલાછમ હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બિરાજમાન છે. ભગુડા ગામ કે જ્યાં ‘આઈ શ્રી મોગલ' હાજરા હજૂર છે. આ સ્થાન સાથે ઘણી પવિત્ર અને પાવનકારી ઘટનાઓ તથા કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે "ભગુડા"
ભગુડા ગામમાં ઈ.સ.૧૯૯૭ માં શિખર વાળુ માતાજીનું નૂતન મંદિરનું નિર્માણ કર્યું હતું. જેનો પાટોત્સવ દર વર્ષે ઉજવાય છે.
ભાવનગર બસ સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને રાજકોટ બસ સ્ટેશનથી ૨૧૪ કિલોમીટર છે. અમદાવાદ, વડોદરા અને આણંદથી એસટી બસો ઉપલબ્ધ છે. ટ્રેન દ્વારા મહુવા નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. મહુવા - ૨૬ કિલોમીટર દૂર સ્લો-ટ્રેન બ્રાન્ચ લાઇન ટર્મિનસ પણ છે. હવાઈ માર્ગે સૌથી નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ભાવનગરમાં છે - ૭૬ કિલોમીટર પરંતુ અમરેલી એરપોર્ટ - ૧૧૦ કિલોમીટર દૂર છે.《નોંધ÷કિલોમીટર માં ફેરફાર હોય શકે.》
👉 શ્રી મોગલધામ ભગુડાનો ઈતિહાસ ÷
૪૫૦ વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે. ત્યારે આહીરોને તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળુ(ખીજડા લાકડુ) ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે, જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો. તમારા સંકટો દૂર થશે. ફળુ લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે. જે આજે ભવ્ય "મોગલધામ" તરીકે ઓળખાય છે.
આઇશ્રી મોગલ માતાજી ભગુડા ગમે બિરાજમાન થવાની લોક કથા કૈક આવા પ્રકારની જાણવા મળે છે, એ દુષ્કાળનો સમય હતો ત્યારે કામળીયા આહીર પરિવાર અને સાથે બીજા માલધારી પરિવારો પશુઓ ના લાલન પાલન અને નિભાવ માટે જૂનાગઢમાં એક ચારણ ના નેસડા માં ગયા હતા. જે નેસ માં ચરણો ના કુળદેવી આઈ શ્રી મોગલ માતાજીનું સ્થાપન હતું. આ સમય દરમિયાન કામળીયા આહીર પરિવારના એક માજી એ માતાજીની હૃદય પૂર્વક સેવા કરેલી. આવતું વર્ષ સારું થતા જ માલધારી પરિવાર વતન પરત જઈ રહ્યો હતો ત્યારે માજીને સરીખાબા ચારણને આ મોગલ માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી માં મોગલ કાપડામાં આપ્યા. કામળીયા આહીર પરિવારના માજીએ પરત વતન ભગુડા પહોંચી માતાજીનું સ્થાપના કરેલી. ત્યારથી આઇશ્રી મોગલ માં ભગુડામાં બિરાજમાન છે. ત્યારથી ચારણ સમાજના કુળદેવી આઈશ્રી માં મોગલ કામળીયા આહીર સમાજના ભગુડાના ૬૦ પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિ ના અનેક લોકો આસ્થા પૂર્વક માતાજીની સેવા-પૂજા કરે છે.
લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગુડા ધામમાં ‘અન્નક્ષેત્રની’ સેવા પણ ઉપલબ્ધ છે. માઇ દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને ૧૬ શણગાર અર્પણ કરે છે. જેને "તરવેડા" તરવેડો એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે.
લોક વાયકા મુજબ ભગુડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી. ઉપરાંત દર વર્ષ વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમ પૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે.જેમા લાખો લોકો શ્રધ્ધાભેર સામેલ થાય છે પ્રતિ વર્ષ ચૈત્ર માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્ર માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી બળતણ તેમજ તમામ વાસણોની સુવિધા વિનામુલ્યે પુરી પાડવામાં આવે છે અહી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ ર૪ કલાક શરૂ રહે છે.
આવાસ માટે પણ ૨૦ ઓરડાઓ અને બે મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે ઉપરાંત સૌ યાત્રાળુઓ માટે સતત ચા-પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરીટેબલ ટ્રસ્ટ, ભગુડા દ્વારા પુરી પાડવામાં આવે છે. મંદિર ર૪ કલાક ખુલ્લુ રહે છે. અહી સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી કોઈ ભુવા નથી. કોઈને દોરા-ધાગા આપવામાં આવતા નથી. નોંધનિય છે કે ભગુડા ગામે સને ૧૯૯૭માં માતાજીનું શિખરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયુ હતું જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ ૧રનાં દિવસે યોજાઈ હતી જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમ પૂર્વક વર્ષોથી ધર્મમય માહોલમાં યોજાય છે.
👉 મોગલધામ ભગુડા આરતીનો સમય ÷ સવારે - ૦૫:૦૦ વાગે. સાંજે...
Read moreગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતાં તાળા: જાણો શું છે મોગલધામ ભગુડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે અતૂટ
સાથે એકવાત ખૂબ જ નોંધવા લાયક છે કે મોગલ માતાજીનો કોઈ ભુવો નથી અને મંદિરના પ્રાંગણમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, "મોગલધામ ભગુડામાં સૌનું સ્વાગત છે. આ દેવસ્થાન પર કોઈપણ અંધશ્રદ્ધા, ડાક-ડમરુ તથા ભુવાને સ્થાન નથી." લોકો પણ મંદિરની આ પરંપરાને અનુસરે છે.
મોગલધામ ભગુડ નો ઇતિહાસ
શું તમે એવા કોઈ ધાર્મિક સ્થળ અથવા તો ગામ વિશે જાણો છો કે જ્યાં ક્યારેય મંદિર, દુકાનો, મકાનોમાં તાળા ન મરાયા હોય? ઘણા લોકોને યાદ આવશે મહારાષ્ટ્રનું શનિ શિંગણાપુર. પરંતુ ભારતમાં બીજું પણ એક એવું ગામ છે જ્યાં ક્યારેય તાળા નથી લાગતા. આ ગામનું નામ છે ભગુડા. તે ભગુડા કે જ્યાં ભગવતી મોગલના બેસણા છે. ભગુડા ગામ અને મા મોગલ વિશેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે. એક સામાન્ય લોકદેવીમાંથી આજે વિશ્વભરમાં પૂંજાતા થયેલા દેવી વિશે જાણવું ખૂબ જરૂરી છે. તો ચાલો નવરાત્રિના ઉત્સવ વચ્ચે આપણે મા મોગલના દર્શન કરી, જઈએ કાઠિયાવાડના એક અતિતના એક ખાસ ચેપ્ટરની સફરે. તે ચેપ્ટર કે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે.
લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે ભગુડાધામ ભગુડાધામ અને મોગલ માતા વિશે જાણ્યા પહેલાં એ સમજવું જરૂરી છે કે લોક સંસ્કૃતિ શું છે અને તેમાં દૈવીય આસ્થાઓ ક્યાં પ્રકારની છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિને ઉન્નત બનાવવા માટે ભારતની ઘણી લોક સંસ્કૃતિઓનું મહત્વનું યોગદાન છે. જેમાં ગુજરાતની પણ બે મુખ્ય લોક સંસ્કૃતિઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતમાં 2 મુખ્ય લોકસંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે. એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. સાથે એ જાણવું પણ જરૂરી છે કે કોઈપણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા, સ્થાનદેવતા, લોકદેવી, લોકદેવતા અને ગ્રામદેવતાનું ખૂબ મહત્વ હોય છે. જે સનાતન વૈદિક પરંપરાનો એક ભાગ છે.
ભગુડા મંદિર વૈદિક પરંપરા અનુસાર દેવતાઓની ઘણી શ્રેણીઓ હોય છે. જે અનુક્રમે આ રીતે જોવા મળે છે. કુળદેવતા, ગ્રામદેવતા, સ્થાનદેવતા, લોકદેવતા અને ઇષ્ટ દેવતા. આ બધા દેવતાઓ ઈશ્વરના અલગ-અલગ સ્વરૂપનું શક્તિપુંજ છે. જેને જે-તે સમાજની લોક સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે.
મોગલ માતા પણ પણ કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે. લોકોની ગાઢ આસ્થા મા મોગલ સાથે જોડાયેલી છે. અઢારે વર્ણ મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ભગુડાધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલમા આજેપણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેવો ગાઢ વિશ્વાસ ધરાવે છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ 16 કિલોમીટરનું અંતર છે. લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્વનું છે. તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે.
મોગલ મા અને ભગુડા સાથે જોડાયેલી લોકવાયકાઓ મોગલધામ ભગુડા સાથે ઘણીબધી દંતકથાઓ અને ઇતિહાસ જોડાયેલા છે. મોગલધામ ભગુડાના ટ્રસ્ટ મંડળ સાથે ઑપઇન્ડિયાની ખાસ વાતચીત થઈ હતી જેમાં મોગલ મા અને ભગુડા ગામ સાથે સંકળાયેલી 2 દંતકથા ખૂબ પ્રચલિત હોવાનું જાણવા મળ્યું હતું.
પહેલી દંતકથા કઈક એવી છે કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલાં ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું. દિલ્હીની મોગલ સલ્તનતથી ગુજરાતનો વહીવટ થતો હતો. તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો. તે સુબો એક દિવસ ફરતો-ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે. સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે. જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે. એ કન્યાની માતાનું મૃત્યુ થઈ ગયું હોય છે. તેને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે.
જુવાનજોધ કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારીભર્યા શબ્દો ઉચ્ચારે છે. તે કહે છે કે, “મલેચ્છ, હું હિંદવાણી છું, રાજપુતાણી છું. મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા.” સુબો પોતાના અભિમાનમાં અને વાસનામાં એટલો રત હોય છે કે તે તેજ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિંદુ દીકરીનો હાથ માંગે છે. કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે. કન્યાના પિતા કહે છે કે, “અમે હિંદુ છીએ અને વળી રાજપૂત. અમારી કન્યા વીર સાથે પરણે. આ કાઠિયાવાડ છે, કંઈક કેટલાય પાળિયા ઉભા છે, હું પાળિયો થઈ જઈશ તો તેમાં સંકોચ નથી. પરંતુ મારી દીકરીને કોઈ મલેચ્છ સાથે તો ક્યારેય નહિ પરણાવું.” સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાય જાય...
Read more